મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કરુણ મોત અને 2 ઘાયલ

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. 

મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કરુણ મોત અને 2 ઘાયલ

જય પટેલ, વલસાડ: ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. 

Image may contain: one or more people, people standing, outdoor and nature

મહારાષ્ટ્રના આંબોલી નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને બચાવવા જતા બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં ભોગ બનેલા લોકો મુંબઇના કાંદિવલી, પનવેલ અને મોખડાના સહેવાસી છે.  

એક સાથે 6 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં ગમગીનો માહોલ છવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news